- સરકાર તરફથી લગ્ન કરવા પર આર્થિક મદદ મેળવવો.
- હવે સરકાર તમને અઢી લાખ રૂપિયાની લોન આપે છે આંતર જ્ઞાતિએ લગ્ન કરવા પર
- આ સ્કીમ વિશે વિગતવાર માહિતી મેળવો
લગ્ન પર સહાય: હાલના સમયમાં લગ્ન કરવા ખૂબ મુશ્કેલ થઈ ગયા છે. અને તેમાં પણ જે લોકો આર્થિક રીતે નબળા છે. તેના માટે લગ્ન એક મોટો પડકાર છે. લગ્ન એ એક પવિત્ર બંધન છે, જેમાં લોકો એકમાંથી બે થાય છે. હાલના સમયમાં એરેન્જ મેરેજની સાથે સાથે લવ મેરેજ નું પ્રમાણ પણ વધી રહ્યું છે.
અત્યારના સમયમાં તો લગ્ન કરવા મુશ્કેલ છે ત્યારે એક ધર્મના લોકો બીજા ધર્મના લોકો સાથે પણ લગ્ન કરી રહ્યા છે. એક બાજુ આપણે જોઈએ તો ઘણા લોકો અંતર જ્ઞાતિ અલગ અલગ ને યોગ્ય ગણતા નથી. આપણા ભારતમાં ઘણા યુવક અને યુવતીઓ એવા છે કે જેને આંતર જ્ઞાતિમાં લગ્ન કરવા છે પરંતુ તેને સમાજમાં ઘણા બધા પ્રશ્નો નડે છે. અને ઘણી બધી સામાજિક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે.

જો આવી સ્થિતિમાં તમે પણ આંતર જ્ઞાતિમાં લગ્ન કરવા ઇચ્છતા હોય તો તમે આર્થિક સહયોગ મેળવી શકો છો. તમને પણ વિચાર આવશે કે એવું કઈ રીતે, તો ચાલો આપણે આજે એની વિગતવાર માહિતી મેળવીએ.
હવે લગ્ન પર સહાય આંતરજ્ઞાતિય લગ્ન પર 2.5 લાખ રૂપિયા સરકાર તરફથી મળી શકે છે.
જાણો શું છે આ લગ્ન પર સહાય માટે સ્કીમ?
આજે આપણે આ સ્કીમ વિશે માહિતી મેળવીએ. આ યોજનાનું પૂરું નામ છે ડોક્ટર આંબેડકર ફાઉન્ડેશન. અને આ યોજના હેઠળ એવા લોકો એટલે કે એવા યુગલો ને 2.5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપશે કે જે લોકો આંતરજ્ઞાતિય લગ્ન કરે છે.
આ યોજના નો લાભ લેવા આટલી બાબતો ખાસ જાણી લો
- આ યોજના નો લાભ લેવા માટેની પહેલી શરત છે કે તમારા લગ્ન આંતર-જ્ઞાતિય થયેલા હોવા જોઈએ.
- છોકરો કે છોકરીમાંથી એક દલિત સમાજનો હોવો જોઈએ અને બીજો દલિત સમાજની બહારનો હોવો જોઈ.
- જો તમે આંતર-જ્ઞાતિય લગ્ન કરી રહ્યા છો તો નિયમો અનુસાર, તમારા લગ્ન હિન્દુ લગ્ન અધિનિયમ 1995 હેઠળ નોંધાયેલા હોવા જોઈએ.
- આ સિવાય તમે લગ્નની નોંધણી માટે એફિડેવિટ દાખલ કરી શકો છો.
- પ્રથમ વખત લગ્ન કરનાર દંપતીને જ યોજનાનો લાભ મળે છે.
- બીજા કે તેથી વધુ લગ્ન કરનારા લોકો આ લાભ મેળવી શકતા નથી.
આ યોજના માટે અરજી કેવી રીતે કરવી?
આ યોજના માં અરજી કરવા માટે જો તમે પણ આંતરજ્ઞાતિય લગ્ન કરેલા હોય તો તમે પણ આંબેડકર યોજનામાં અરજી કરી શકો છો, અરજી કરવા માટે તમારે લગ્ન થયાના એક વર્ષની અંદર ડૉ. આંબેડકર ફાઉન્ડેશનમાં અરજી કરવી પડશે.
વિશ્વ ગુજરાત હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
આ સિવાય પણ જો તમને કોઈ હેલ્થ સાથે સંકળાયેલ કોઈ સમસ્યા હોય તો, આ આર્ટિકલની નીચે કમેન્ટ કરી જણાવો. અને જો તમને અમારો આ ડાયાબિટીસ કન્ટ્રોલ કરવા માટે લીલા પાંદડા વાળો લેખ ગમ્યો હોય તો, તેને લાઈક આપી અને શેર ચોક્કસથી કરજો. આવા જ વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો વિશ્વ ગુજરાત સાથે. અને અમારા વોટ્સએપ ગ્રૂપને જોઈન કરો