આ જ કારણ છે કે બિગ બોસ 16 ના મેકર્સે “નો એલિમિનેશન” નો પ્લાન કર્યો છે

Spread the love

બિગ બોસ 16 હંમેશા તેના ઝઘડા અને તેમાં થતી દલીલોને કારણે હેડલાઇન્સમાં રહે છે. સલમાન ખાનને ડેન્ગ્યુ થયો હોવાથી આ વિકેન્ડ કરણ જોહરે હોસ્ટ કર્યો હતો. બિગ બોસ 16માં, સ્પર્ધકો અગાઉની સીઝનની જેમ શારીરિક ઝઘડામાં પડે તેવા ટાસ્ક ઓછા આપવામાં આવ્યા છે. BB16 હાઉસમાં સ્પર્ધકો ગૌણ વસ્તુઓ પર ઝઘડા કરી રહ્યા છે. દર્શકો કહે છે કે સ્પર્ધકો ગ્રુપમાં વહેંચાયેલા છે અને અન્ય ગ્રુપને નિશાન બનાવે છે.

બિગ બોસ 16 વિકેન્ડ

વીકેન્ડના એપિસોડમાં, કરણ જોહરે ગોરી અને અન્ય લોકો પર આકરા પ્રહારો કર્યા જેમણે બિગ બોસ દ્વારા અર્ચનાને કેપ્ટન તરીકે જાહેર કર્યા પછી તેણીની ઉશ્કેરણી કરી હતી. બિગ બોસ 16ના દર્શકો કરણ જોહરને ગુસ્સાના મૂડમાં જોઈને અને સ્પર્ધકો પર ચીસો પાડતા જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. જેઓ લાઇન ક્રોસ કરી ગયા હતા કરણ જોહરે તેમની બરાબર ખબર લીધી હતી. ગઈકાલના એપિસોડ મુજબ, સ્પર્ધકોના સમીકરણો બદલાઈ ગયા છે, અને નિમ્રિતના તેના નજીકના મિત્રો ગૌતમ અને સૌદર્યા વિશેના નિવેદનો એ શોની હાઈલાઈટ્સ છે.

વિકેન્ડ કા વાર

વેલ, દર વીકેન્ડની જેમ પ્રિયંકા ચહરને નિમ્રિત અને કંપનીએ નિશાન બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે BB16 હાઉસમાં પ્રિયંકાને જેટલી ટાર્ગેટ કરવામાં આવી છે તેટલી જ તે ઘરની બહાર પણ ભારે લોકપ્રિયતા મેળવી રહી છે. એલિમિનેશન પ્રક્રિયાના ત્રીજા અઠવાડિયે નોમિનેટ થયેલા સ્પર્ધકો વિશે વાત કરીએ તો સુમ્બુલ, માન્યા સિંઘ અને શાલિન ભનોટ નોમિનેટ છે.

બિગ બોસ 16 “નો એલિમિનેશન વીક”

બિગ બોસ 16ના નિર્માતાઓએ નો એલિમિનેશન વીકની જાહેરાત કરી હોવાથી, દર્શકો મૂંઝવણમાં છે કે BB16 નિર્માતાઓ શું આયોજન કરી રહ્યા છે. પ્રેક્ષકોનો એક વર્ગ કહે છે કારણ કે તમામ વિવાદાસ્પદ સ્પર્ધકો નોમિનેશનમાં છે અને જો કોઈ એક સ્પર્ધક ઘરની બહાર નીકળી જશે, તો શોમાં મજા આવશે નહી. તેથી દર્શકો વિચારે છે કે આ જ કારણે નો એલિમિનેશન વીકનું આયોજન કર્યું છે. તેના પર તમારો શું અભિપ્રાય છે?

See also  KatmovieHD Bollywood, Hollywood, Tamil, Hindi, Telugu HD Movies Download

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપના માટે લાવતા રહીશું. અવનવી માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર.

આ જ કારણ છે કે બિગ બોસ 16 ના મેકર્સે "નો એલિમિનેશન" નો પ્લાન કર્યો છે

Leave a Comment

error: Content is protected !!