SBI E Mudra Loan 2023: SBI ઈ-મુદ્રા લોન યોજના ભારતમાં બહાર પાડેલ છે. આ યોજનામાં પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા માટે તથા તેને વિસ્તારવા માટે વ્યક્તિઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.
આ યોજના હેઠળ વ્યક્તિને 50 હજારથી 10 લાખ સુધીની લોન મળી શકે છે. આ લોન ના ઉપયોગથી લોકો સાધનો કે મશીનરીની ખરીદી, માર્કેટિંગ, જાહેરાત વગેરેનો સમાવેશ થાય છે. SBI દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના બહાર પાડેલ છે. જેમાં વ્યક્તિઓને પોતાનો ધંધો આગળ વધારવા માટે નાણાકીય સહાય કરવામાં આવે છે.
SBI E Mudra Loan Overview
આર્ટિકલનું નામ | SBI E Mudra Loan 2023 |
યોજનાનું નામ | પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (PMMY) |
યોજનાની શરૂઆત કોણે કરી? | દેશના પ્રધાનમંત્રી દ્વારા બિન-કોર્પોરેટ, બિન-ખેતી નાના વ્યવસાયકારોને 10 લાખ સુધીની લોન આપવા માટે શરૂ કરવામાં આવી. |
ક્યારે થઈ યોજનાની શરૂઆત? | 8 એપ્રિલ, 2015 |
યોજનાનો હેતુ | ભારતની નાના પાયાના વ્યવસાયો, કંપનીઓ, એકમોનો વિકાસ કરવામાં અને સફળતા મેળવવામાં મદદ કરવા આ યોજના શરૂ કરવામાં આવી છે. |
અરજી કોણ કરી શકે છે? | દરેક SBI ખાતાધારક અરજી કરી શકે છે. |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | Clickઅહીં ક્લિક કરો Here |
Sbi E mudra loan | અહીં ક્લિક કરો |
અન્ય યોજનાઓ ની માહિતી જાણવા | અહીં ક્લિક કરો |
State bank of india દ્વારા SBI ઈ-મુદ્રા લોન આપવામાં આવે છે તેની એપ્લિકેશન ઓનલાઈન કરી શકાય છે. ઓફિશિયલ વેબસાઈટ દ્વારા સંપૂર્ણપણે ઓનલાઈન લોન ની એપ્લિકેશન કરી શકાય છે. આ લોન નાના વેપારીઓ માટે અનુકૂળ રહે તે રીતે જ ડિઝાઇન કરવામાં આવે છે. SBI ઈ-મુદ્રા લોન એ ભારતમાં પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે તથા વધારવા માટે એક ખૂબ જ મૂલ્યવાન લોન છે જેના દ્વારા વ્યવસાયને વિકસાવાની આકર્ષક તક છે.
SBI E Mudra Loan માટે જરૂરી ડોક્યુમેન્ટ આ લોન મેળવવા માટે બેંકને અમુક ડોક્યુમેન્ટ્સ આપવા પડે છે જે નીચે મુજબ છે:
- બાંહેધરી આપનારની માહિતી:- તમારી નાણાકીય પરિસ્થિતિના આધારે બાંહેધરી આપનાર ની વિગતો આપવાની રહે છે જે લોન સહી કરશે.
- Identity card: પાનકાર્ડ ચુંટણીકાર્ડ આધારકાર્ડ અથવા પાસપોર્ટ ની નકલ.
- Address proof :- પાસપોર્ટ ની નકલ લાઈટ બિલ જે ભાડા કરારની નકલ.
- માલિકીનો પુરાવો :- જો પહેલેથી જ કોઈ વ્યવસાય ચાલુ હોય તો તેની માલિકીનો પુરાવો તથા તેનો નોંધણી પ્રમાણપત્ર.
- Bussiness details:- વ્યવસાય ના લક્ષ્યો તથા નાણાકીય અંદાજો અને રૂપરેખા આપતી માહિતી આપવાની રહેશે.
- નાણાકીય દસ્તાવેજ :- આવકવેરા રિટર્ન બેલેન્સ શીટ બેંક સ્ટેટમેન્ટ વગેરે.
આ સિવાય પણ ચોક્કસ દસ્તાવેજો બેંક દ્વારા માગી શકાય છે સંજોગોના આધારે માગી શકે છે.
SBI E Mudra Loan 2023 ની એપ્લિકેશન ઓનલાઇન કઈ રીતે કરવી?
- SBI ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ
- લોન પર ક્લિક કરો
- લોન ઓપ્શનમાંથી SBI ઈ-મુદ્રા લોન પસંદ કરો.
- પછી એપ્લાય નાઉ પર ક્લિક કરો.
- તેમાં જે જે વ્યક્તિગત અને નાણાકીય માહિતી માંગે તે આપે ફોર્મ ભરો .
- જે ડોક્યુમેન્ટસ માંગે તે અપલોડ કરો તેમાં સરનામું વ્યવસાય યોજના નાણાકીય દસ્તાવેજ તથા ઓળખનો પુરાવો વગેરે સામેલ છે.
- જરૂરી બધી માહિતી આપીને અરજી ફોર્મ સબમીટ કરો ત્યારબાદ બેંકના રીપ્લાયની રાહ જોવો.
જે રીતે તમે વિગતો આપશો તે રીતે લોનની પ્રક્રિયા થશે જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો sbi ની ગ્રાહક સેવાની નો સંપર્ક કરી શકાય છે.
SBI ઈ-મુદ્રા લોન હેલ્પલાઇન નંબર
- ટેલીફોન :- તે માટે તમે હેલ્પલાઈનને 1800-11-2211 અથવા 1800-425-3800 પર કૉલ કરી શકો છો. ત્યાં 24 કલાક હોય છે ટીમ હોય છે જે ગ્રાહકોને સેવા પૂરી પાડે છે.
- EMail :- તમે તેની મેલ આઈડી પર જઈને મેલ પણ કરી શકો છો તેનું મેલ આઈડી છે [email protected]
- Social media :- સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પણ sbi નો કોન્ટેક્ટ કરી શકાય છે.
- Online chat :- sbi ની વેબસાઈટ પર જઈને ઓનલાઈન ચેટ સુવિધા નો પણ ઉપયોગ કરી શકાય છે.
- રૂબરૂ મળો :- sbi શાખા ની રૂબરૂ મુલાકાત લઈને ત્યાં પણ તમે ગ્રાહક સેવા પ્રતિનિધિ સાથે રૂબરૂ વાત કરી શકો છો.

FAQs:- SBI E Mudra Loan અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો
SBI E Mudra Loan શું છે?
SBI E Mudra Loan પ્રધાનમંત્રી મુદ્રા લોન દ્વારા ઓફર કરવામાં આવતી એક નાણાકીય યોજના છે. જે અંતર્ગત જે લોકોને પોતાનો ધંધો વિકસાવવો હોય તેમાં નાણાકીય મદદ કરવામાં આવે છે.
SBI ઈ-મુદ્રા લોન દ્વારા કેટલા રૂપિયા સુધીની લોન મળી શકે છે ?
sbi ઇ-મુદ્રા દ્વારા વ્યક્તિને 50000 સુધીની લોન મળી શકે છે.
SBI ઈ-મુદ્રા લોન માટે કયા કયા દસ્તાવેજો જરૂરી છે?
આ લોન માટે બેંકને ઓળખ કાર્ડ સરનામું નાણાકીય દસ્તાવેજ તથા વ્યવસાય માટેની યોજના જેવા જરૂરી દસ્તાવેજોનો સમાવેશ થાય છે.
SBI E Mudra Loan માટે અરજી કઈ રીતે કરી શકાય?
આ લોન માટે અરજી કરવા માટે તેની ઓફિશિયલ વેબસાઈટ પર જઇને ઓનલાઇન એપ્લિકેશન કરી શકાય છે.
SBI ઇ-મુદ્રા લોન માટે અરજી ફી કેટલી લેવામાં આવે છે?
આ લોન કરવા માટે તેને સંબંધિત પ્રોસેસિંગ ફી અથવા વ્યાજ ચાર્જ તથા લોન ના નિયમો અને શરતો મુજબ હોય છે.
જો SBI માં ચાલુ ખાતું કે બચત ખાતું ન હોય તો આ લોન માટે અરજી કરી શકાય?
Sbi ઇ-મુદ્રા લોન માટે SBI બેન્ક માં બચત ખાતુ કે ચાલુ ખાતું હોવું જરૂરી છે. તો જ તમે આ લોન માટે અરજી કરી શકશો.
જો મારી પાસે SBI માં બચત અથવા ચાલુ ખાતું ન હોય તો શું હું SBI ઈ-મુદ્રા લોન માટે અરજી કરી શકું?
SBI ઇ-મુદ્રા લોન માટે પાત્ર બનવા માટે, તમારી પાસે બેંકમાં બચત ખાતું અથવા ચાલુ ખાતું હોવું આવશ્યક છે. જો તમારી પાસે SBIમાં ખાતું નથી, તો તમે લોન માટે અરજી કરી શકશો નહીં.