ઉજ્જૈન મહાકાલ લોક નો ઐતિહાસિક નજારો મહાકાલ લોક ફોટોગ્રાફી દ્રશ્યો

Spread the love

ઉજ્જૈન મહાકાલ લોક નો ઐતિહાસિક નજારો [ મહાકાલ લોક ફોટોગ્રાફી દ્રશ્યો ] : ભારતના મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર પ્રખ્યાત છે. ત્યાં ઉજ્જૈનનું 20 હેક્ટર મોટું મહાપ્રસિદ્ધ મહાકાલ કોરિડોર તૈયાર થઇ ચૂક્યું છે. મહાકાલ લોકમાં 200 જેટલી મૂર્તિઓ અને 108 જેટલા સ્તંભો કંડારેલા છે અને મહાકાલ લોક 750 કરોડના ખર્ચે તૈયાર થયું છે. મહાકાલ મંદિર કોરિડોરનાં પ્રથમ ચરણ એટલે કે શ્રી મહાકાલ લોક ફેઝ એકનું ઉદગાટ્ન નરેન્દ્ર મોદીના હસ્તે થઈ ગયું છે.

ઉજ્જૈન મહાકાલ લોક

સુપ્રસિદ્ધ મધ્યપ્રદેશ ઉજ્જૈનનું મહાકાલ કોરિડોર તૈયાર થઇ ચૂક્યું છે. આ મહાકાલ લોક ઉત્તરપ્રદેશનાં કાશી વિશ્વનાથ કોરિડોરથી ચારગણું મોટું છે. મહાકાલ લોકમાં ભગવાન શિવ અને તેમના સમગ્ર પરિવારની પ્રતિમાઓને સ્થાપિત કરવામાં આવી છે. અહીં ભગવાન શિવની લીલાઓ વર્ણવતી નાની-મોટી આશરે 200 જેટલી મૂર્તિઓ કંડારાઇ છે.  ભગવાન શિવે કઇ રીતે રાક્ષસ ત્રિપુરાસુરનો વધ કર્યો હતો તે કહાણીનું પણ વર્ણન કરતી મોટી મૂર્તિ કંડારાયેલ છે. 



108 જેટલા વિશાળ સ્તંભ

ઉજ્જૈન સ્થિત મહાકાલ લોકમાં અંદાજે 108 જેટલા વિશાળ સ્તંભ બનાવવામાં આવ્યાં છે. દરેક સ્તંભ પ પર મહાદેવ, પાર્વતી સહિત તેમના સમગ્ર પરિવારના ચિત્ર કંડારાયા છે. આ ચિત્રો તદન મૂર્તિઓ જેવી જ છે જેમાં શિવ, પાર્વતી, ગણેશ અને કાર્તિકેયની જીવનલીલાઓનું વર્ણન છે.
108 જેટલા વિશાળ સ્તંભ

ઉજ્જૈન સ્થિત મહાકાલ લોકમાં અંદાજે 108 જેટલા વિશાળ સ્તંભ બનાવવામાં આવ્યાં છે. દરેક સ્તંભ પ પર મહાદેવ, પાર્વતી સહિત તેમના સમગ્ર પરિવારના ચિત્ર કંડારાયા છે. આ ચિત્રો તદન મૂર્તિઓ જેવી જ છે જેમાં શિવ, પાર્વતી, ગણેશ અને કાર્તિકેયની જીવનલીલાઓનું વર્ણન છે.


દરેક મૂર્તિ પર બારકોડ

આ મહાકાલ નગરીમાં દરેક મૂર્તિઓ પર અલગ બારકોડ લગાવવામાં આવેલ છે જે સ્કેન કરતા ની સાથે જ ભગવાન શિવ શંભુની દર્શાવેલી પ્રતિમા નું વર્ણન તથા ઐતિહાસિક કથાનું વર્ણન તમારા મોબાઇલમાં જોઈ શકશો તેનો મુખ્ય હેતુ આવનારી પેઢી પ્રાચીન કથાઓ તથા ઇતિહાસને જાણે તેઓ છે
દરેક મૂર્તિ પર બારકોડ

આ મહાકાલ નગરીમાં દરેક મૂર્તિઓ પર અલગ બારકોડ લગાવવામાં આવેલ છે જે સ્કેન કરતા ની સાથે જ ભગવાન શિવ શંભુની દર્શાવેલી પ્રતિમા નું વર્ણન તથા ઐતિહાસિક કથાનું વર્ણન તમારા મોબાઇલમાં જોઈ શકશો તેનો મુખ્ય હેતુ આવનારી પેઢી પ્રાચીન કથાઓ તથા ઇતિહાસને જાણે તેઓ છે

મહાકાલ લોકના અદભુત દ્રશ્યો

અંદાજિત 750 કરોડનો ખર્ચ થયો છે


મહાકાલ મંદિરનાં નિર્માણનો ખર્ચ આશરે 750 કરોડ રૂપિયા જેટલો થયો છે. આ અંતર્ગત પહેલા ચરણમાં મહાકાલ પથનું કામ પૂરું થઇ ચૂક્યું છે, જેથી ભક્તો અહીં આવીને દર્શન કરી શકે. અહીં આવેલ 108 સ્તંભોમાં શિવના આનંદ તાંડવ, શિવ સ્તંભ, ભવ્ય પ્રવેશ દ્વાર પર વિરાજીત નંદીજીની વિશાળ મૂર્તિઓનો સમાવેશ થાય છે.

See also  માવઠાની આગાહી : આટલા જિલ્લાઓમાં પડી શકે છે 26 થી 28 નવેમ્બરમાં વરસાદ
મહાકાલ લોકના દ્વારો આકર્ષણ નું કેન્દ્ર

આ મહાકાલ લોક કુલ 910 મીટરનો છે અને તે 108 સ્તંભ ઉપર બનાવેલું છે મંદિરની શેરીઓ સાથે સાથે તેના દ્વાર પણ અદભુત છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે

Leave a Comment

error: Content is protected !!