આમ આદમી પાર્ટીના ઉમેદવારો જાહેર, દહેગામથી યુવરાજસિંહ જાડેજા લડશે ચૂંટણી

Spread the love

ગુજરાતમાં ચૂંટણીની જોરશોરથી તૈયારી ચાલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમાં દહેગામથી યુવરાજસિંહ જાડેજા લડશે ચૂંટણી.

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. આ વખતે ગુજરાતમાં ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. ત્યારે આમ આદમી પાર્ટી પહેલી વખત ગુજરાતમાં ચૂંટણી માટે મેદાનમાં ઉતરી રહી છે. રણનીતિ સાથે એક બાદ એક પગલા લઈ આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું 8મું લિસ્ટ જાહેર કરી દીધું છે. જેમાં આપે વધુ 22 ઉમેદવારનોના નામ જાહેર કર્યા છે. 

દહેગામથી યુવરાજસિંહ જાડેજા લડશે ચૂંટણી

કોન ક્યાંથી ઉતરશે ચૂંટણી મેદાનમાં

દહેગામ ખાતેથી યુવરાજસિંહ જાડેજા ઉમેદવારી નોંધાવાના છે. નારાણપુર ખાતેથી પંકજ પટેલ લડવાના છે. રાજુલાથી ભરતભાઈ બલવાનીયા ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ધરમપૂરથી કમલેશ પટેલ ઉમેદવારી નોંધાવાના છે. 

સ્ટોરી અપડેટ થઈ રહી છે….

See also  BCCI નો મહત્વપૂર્ણ નિર્ણય, હવેથી મહિલા ક્રિકેટરોને પણ પુરૂષો જેટલી જ મેચ ફી મળશે

2 thoughts on “આમ આદમી પાર્ટીના ઉમેદવારો જાહેર, દહેગામથી યુવરાજસિંહ જાડેજા લડશે ચૂંટણી”

Leave a Comment

error: Content is protected !!